Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

કેશોદમાં એમ્બ્યુલન્સ દોડાવી છ હજાર લોકોને આપ્યુ કોરોના રસી કવચ : કેશોદ આરોગ્ય વિભાગની કાબિલે દાદ કામગિરીઃ

(કિશોર દેવાણી દ્વારા) કેશોદ : કાકિંડાની જેમ કલર બદલતા કોરોના સામે કાયમી રક્ષણ મેળવવા માટે વિશ્વભરના વૈજ્ઞાનિકો, ડોકટરો તેમજ વૈશ્વિક સંગઠનો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વૈશ્વિક મહામારીને નાબૂદ કરવા હાલ રસી અને નિયમ પાલન જ એક અમોદ્ય અસ્ત્ર સમાન મનાઈ રહ્યું છે. ત્યારે ઝડપી વેકિસનેશન થવું જરૂરી બન્યું છે. તેવા સંજોગોમાં કેશોદ પંથકમાં દિવાળી તહેવારોમાં રસી લીધા બાદ તાવ આવવાની બીકે કોઈએ ડોઝ ન લેતા વેકિસનેશનની કામગીરી ધીમી પડી હતી. બીમાર પડવાના ભયે લોકો બીજો ડોઝ લેવા ન જતાં તંત્રએ સામે ચાલી શ્નકોરોના કવચલૃઆપ્યું હતું. અર્બન વિભાગ- કેશોદ પાલિકાના સહયોગથી એમ્બ્યુલન્સની મદદ લઇ શરદચોક, ચારચોક, શેખ ગેરેજ, બરસાના સોસાયટી, વેરાવળ રોડ, આંબાવાડી સહિતના અનેક વિસ્તારોમાં વેકિસન આપવામાં આવી હતી. આથી ધંધા રોજગારમાં વ્યસ્ત લોકોએ એમ્બ્યુલન્સ મારફત રસી મેળવી હતી. આથી લોકો સુધી પહોંચી લોકોનો સમય બચે અને વેકિસન લેતાં જીંદગી બચે તેથી આ આરોગ્ય વિભાગની કાબિલે દાદા વેકિસનેશનની કામગીરીની શહેરીજનો ઠેરઠેર પ્રશંસા કરી રહયા હતા. કેશોદમાં એમ્બ્યુલન્સની મદદથી કુલ ૬૦૦૦ લોકોને વેકિસન આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેકિસનના પ્રથમ ડોઝથી આમૂક લોકો સીવાય લગભગ ૧૦૦ ટકા વકિસનેસનની કામગીરી પૂર્ણ કરી હતી. લોકોને વેકિસન આપવા હેલ્થ વિભાગ દિવસ રાત કામ કરી રહ્યુ છે જે આવકાર દાયક છે.

(1:15 pm IST)