Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

આર્ય સમાજ-જામનગર દ્વારા આર્ય વિરાંગના દળ પ્રશિક્ષણ શિબિર

 જામનગર : આર્યસમાજ -જામનગર દ્વારા આયોજિત ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા અને બૃહદ્દ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના તત્વાધાનમાં જામનગર ખાતે યોજાયેલ આર્ય વીરાંગના દળ પ્રશિક્ષણ શિબિર-૨૦૨૧ પ્રારંભ સમારોહ બૃહદ્ર સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ જામનગરના પ્રમુખ દીપકભાઇ ઠક્કરના અધ્યક્ષ સ્થાને આર્યસમાજ જામનગર ખાતે યોજાયેલ જેમાં સમગ્ર ગુજરાતભરમાંથી ૧૭૫ જેટલી બહેનો ભાગ લઇ રહી છે. આ શિબિરમાં મુખ્ય પ્રશિક્ષિકા તરીકે મુદૃલાબેન આર્ય સેવા આપે છે અને તેના સહયોગમાં ઉર્મિલાબેન આર્ય છે. શિબિરના સંયોજક તરીકે આર્યસમાજ જામનગરના માનદ મંત્રી મહેશભાઇ રામાણી રહેશે. તેમજ શિબિરાધ્યક્ષ પ્રફુલ્લાબેન રૂપડીયા રહેશે. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે બૃહદ્દ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના માનદ્  મંત્રી અશોકભાઇ પરમાર, આર્યસમાજ જૂનાગઢના ઉપમંત્રી પ્રવિણાબેન વાઘેલા, ટ્રસ્ટીશ્રી (ઉમિયાજી મહિલા કોલેજ ધ્રોલ), બી.જી.કાનાણી, સ્વામી શાંતાનંદજી, કેશુભાઇ ઘેટીયા, વરૂણાબેન રામદેવજી આર્ય, આચાર્ય કૃષ્ણદેવ શાસ્ત્રીની ધર્મશિલા પરામર્શ દાત ગુરૂકુળ પ્રભાત આશ્રમ મેરઠ, આર્યસમાજ ટંકારાના મંત્રી શ્રી દેવકુમારજી, આર્યસમાજ-જામનગરના કોષાધ્યક્ષ વિનોદભાઇ નાંડા, આર્ય વિદ્યાસભાના સદસ્યા નીમુબેન રામાણી, આર્યસમાજ -જામનગરના પુસ્તકાધ્યક્ષ ભરતભાઇ આશાવર, આર્યસમાજ-જામનગરના અંતરંગ સદસ્ય ધવલભાઇ બચ્છા, આર્યસમાજ -જામનગરના નિમંત્રિત સદસ્ય પ્રભુલાલભાઇ મહેતા, વિશ્વાસભાઇ ઠક્કર તેમજ શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલયના મદદનીશ શિક્ષિકા બહેનો પારૂલબેન પરમાર તથા ધર્મિષ્ઠાબેન ગોહિલ હાજર રહ્યા હતા. 

(1:14 pm IST)