Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

જામનગરમાં ભુગર્ભ ગટર છલકાતા લોકોને ભારે મુશ્કેલીઃ

જામનગર : જામનગર શહેરના આણંદાબાવા ચકલા વિસ્તારમાં ભુગર્ભ ગટર ઉભરાવાથી લોકોને હાલાકી પડી રહી છે. આ અંગે વોર્ડ ઓફિસ પણ અજાણ ન હોવા છતાં સફાઇની સમસ્યા કાયમ રહે છે. વારંવાર આ વિસ્તારમાં ભુગર્ભ ગટર છલકાઇ છે ત્યારે આજુબાજુના વિસ્તારમાં મંદિરો આવેલા હોય લોકોને આ નર્કાગારમાંથી પસાર થવું પડી રહ્યુ છે. તેવા સમયે આ સમસ્યાનો કાયમી નિકાલ આવે તેવી લોકોમાં માંગણી ઉઠી છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:10 pm IST)