Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

મોરબીના રાજપર રોડ ઉપર અજાણ્યા પુરૂષનો ગળાફાંસો ખાઇ આપઘાત

તસ્વીરમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૦ : મોરબી શહેરના રાજપર રોડ પર અજાણ્યા પુરુષે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજપર રોડ પર મામા દેવ મંદિર બાજુમાં આવેલ દુકાન પાસે પારાપીટના સળિયામાં ટીશર્ટ વડે ગળેફાંસો ખાઈને એક અજાણ્યા પુરૂષે આપઘાત કર્યો છે. મૃતકની ઉમર અંદાજે ૨૬ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે મૃતક શરીરે ભૂખરા કલરની કાળી પટ્ટીવાળું ગંજી અને કોફી કલરની ચડ્ડી પહેરી છે જેના વાલીવારસ મળી આવ્યા ના હોય જેથી મૃતક અંગે માહિતી આપવા તપાસ અધિકારી એન એસ મેસવાણીયા મોબાઈલ નંબર ૯૯૦૪૭ ૧૩૨૪૭ અથવા એ ડીવીઝન પોલીસ સ્ટેશન ૦૨૮૨૨ ૨૩૦૧૮૮ પર સંપર્ક કરવા જણાવ્યું છે.

(1:09 pm IST)