Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

અખિલ ભારતીય સંત સમિતી રાજકોટ જીલ્લાના પ્રમુખ તરીકે પૂ. ભકિતપ્રકાશ સ્વામીની વરણી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૦ ઃ તાજેતરમાં અખિલ ભારતીય સંત સમિતીની એક બેઠક મળેલ જેમાં સૌરાષ્ટ્ર પંથકના રાષ્ટ્રવાદી પ્રખર હિન્દુ વકતા અને શ્રી સ્વામિનારાયણ સનાતન આશ્રમ મેંદરડા અને ખીરસરાના શાસ્ત્રી પૂ. ભકિતપ્રકાશ સ્વામીની અખિલ ભારતીય સંત સમિતી રાજકોટ જીલ્લાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.
જેને સાધુ સંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંતોએ આવકારી પૂ. ભકિતપ્રકાશસ્વામીને મો. નં. ૭૪૦૫૪ ૭૭૭૭૦ ઉંપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

 

(11:23 am IST)