Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી સાથે સ્વ. મનસુખભાઇ બારાઇના પરિવારની શુભેચ્છા મુલાકાત : ટુંકાગાળામાં બીજી વખત મળવાનું સૌભાગ્ય

ઓખા તા. ૨૦ : ભારતના મહામુહીમ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીની ગુજરાતની મુલાકાત વખતે તાજેતરમાં રાજભવન ગાંધીનગર ખાતે સ્વ. મનસુખભાઇ બારાઇના પરીવારના આલાપ ભરતભાઈ બારાઇ અને ભરતભાઈ મનસુખભાઇ બારાઇને શુભેચ્છા મુલાકાત આપી હતી. ખુબજ ટૂંકા ગાળામાં બીજી વખત રાષ્ટ્રપતિશ્રીને મળવાનું આલાપભાઈ અને ભરતભાઈને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતુ.

સ્વ. મનસુખભાઇ બારાઇના પરીવાર સાથે મહામુહીમ રાષ્ટ્રપતિશ્રીને પહેલીથીજ આત્મીયતાનો નાતો છે માટે રામનાથ કોવિંદજી જયારે પણ ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે બારાઇ પરીવારનેઙ્ગ અચુક યાદ કરે છે.

રાષ્ટ્રપતિશ્રીની આ મુલાકાત સમયે આલાપભાઈ અને ભરતભાઈ સાથે સ્વ. મનસુખભાઇ બારાઇએ કરેલી સેવાકીય - સંસ્થાકીય તેમજ ગૌ શાળાની પ્રવૃતિઓ અને સંસ્થાઓ વિષેની જાણકારી મેળવી તેમને કરેલા સત્કાર્યોની સરાહના કરી હતી. ઓખા દ્વારકાના ખબર અંતર પણ મહામુહીમ રાષ્ટ્રપતિશ્રીએ પુછ્યા હતા. આ ઉપરાંત તેઓ એ સ્વ મનસુખભાઇ સાથે ના તેમના સંબંધો અને જુની યાદો તાજી કરી હતી.ઙ્ગ

રાષ્ટ્રપતિશ્રીએ અગાઉની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તેઓ જયારે પણ ગુજરાત આવશે ત્યારે સ્વ. મનસુખભાઇ બારાઇના પરીવારના લોકોને જરૂરથી મળશે. તાજેતરમાં ગાંધીનગરની મુલાકાત દરમીયાન તેઓએ સામેથી મુલાકાત આપી પોતાની સાદગી અને દરીયાદિલીનો પરિચય આપ્યો હતો.

(11:25 am IST)