Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને કાર્તિક પુર્ણિમા નિમિતે સુવર્ણ વાઘા-પુષ્પો શ્રૃંગાર

વાંકાનેર,તા.૧૯ : બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળંગપુરધામમાં આવેલ સૌનું આસ્થાનું પ્રતિક એવા સૌના વ્હાલા વ્હાલા ''શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર'' ખાતે આજરોજ તારીખ : ૧૯ / ૧૦ / ૨૧ને શુક્રવાર ના ''દેવ દિવાળી'' અને ''આજે પૂનમ ''હોય શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને  સુવર્ણ વાંધા સાથે અનોખા પુષ્પો ના શણગાર દર્શન રાખેલા છે. આજરોજ સવારે મંગળા આરતી પ .પૂજ્ય પૂજારી સ્વામી શ્રી ધર્મકિશોરદાસજી સ્વામી ( ડી, કે, સ્વામી ) દ્વારા કરવામાં આવેલ હતી તેમજ દાદાની દિવ્ય ભવ્ય શણગાર આરતી સવારે સાત કલાકે પ.પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ હતી આ પ્રસગે પૂજ્ય કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી, તથા સંતો હાજર રહયા હતા આ ઉપરાંત આજે સવારે ૧૧ વાગ્યે અનેક જાતના ''ફ્રૂટ''ના અન્નકોટ દર્શન રાખેલ છે.  આજે પૂનમ હોય સવારે મંગળા આરતીમાં મંદિર પરિસર તેમજ આખા ગ્રાઉન્ડમાં દાદાના ભકતજનો આરતીમાં ઉભા રહીને મહા આરતી નો લાભ લીધેલ તેમજ શણગાર આરતીમાં પણ હજારો ભાવિકોએ દર્શનનો લાભ લીધેલ આરતી સમયે નિજ મંદિર માં ભકતજનો દ્વારા ૅ શ્રી કષ્ટભંજનદેવ ''હનુમાનજીદાદા કી જય''  સાળંગપુરમાં કોણ છે ''કષ્ટભંજનદેવ હનુમાનજી હજ઼રા હજુર છે'' તેમજ હનુમાન ચાલીસા ના ગાન સાથે મંદિર પરિસર ગુંજી ઉઠેલ હતું હાલ દિવાળી બાદ દરરોજ દાદાના દરબારમાં વીસથી પચીસ હજાર ભાવિકો ભોજનાલયમાં  મહા પ્રસાદ લ્યે છે એમ પ.પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરી-પ્રકાશદાસજી સ્વામીએ કથામાં કહેલ આ બધો પ્રતાપ દાદાનો છે આજે પૂનમ હોય દાદા ના દરબાર માં દૂર દૂર થી ભાવિક ભકતજનો, હરિ ભકતો સાળંગપુરધામ માં દાદા ના દરબાર ગઈકાલે રાત્રે જ પહોંચી ગયા હતા દિવાળી પછી સતત ટ્રાફિક રહેતો હોય છતાંય પ પૂ કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામી શ્રી ડી, કે , સ્વામી સતત દેખરેખ રાખીને સુંદર વ્યવસ્થા ભોજનાલય માં કરી રહયા છે. 

(11:26 am IST)