Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

જામનગરનાં લાલપુરમાં વાડીમાં કપાસમાં દવા છાંટતા ઝેરી અસરથી વૃધ્ધનું મોત

તા.૨૦: જામનગર  લાલપુર ગામે રહેતા કિશોરભાઈ મેદ્યજીભાઈ વૈશ્નાણી, ઉ.વ.પ્ન૧ એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૯-૯-૧૯ ના ભાલારાદાદાના મદિર પાસે, લાલપુરમાં આ કામે મરણ જનાર રમેશભાઈ પ્રેમજીભાઈ ગોધાણી, ઉ.વ.પડ, રે. ગોકુલધામ સોસાયટી, લાલપુરગામવાળા પોતે પોતાની વાડીમાં કપાસમા દવા છાટતો હોય ત્યારે દવાની અસર થતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

શંકરટેકરીમા જૂગાર રમતી બે મહિલા સહિત ચાર ઝડપાયા

જામનગરઃ સીટી 'એ' પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાધાબેન હરદાસભાઈ ગોજીયા એ ફરીયાદ નોધાવી છે કે, તા.૧૯-૯-૧૯ ના શંકર ટેકરી શંકરના મંદિર પાસે, બારોટ ફળીમાં આ કામના આરોપીઓ ભારતીબેન દિલીપભાઈ પાણખીયા, નશીમબેન અબ્બાસભાઈ રફાઈ, જશુબેન મનુભાઈ કાનજીભાઈ ચાદ્રા, સુરેશભાઈ વલુભાઈ વસીયર, રે. જામનગરવાળા જાહેરમાં ગજીપતાના પાના વડે પૈસાની લેતીદેતી કરી પૈસાની હારજીત કરી તીનપતી રોનપોલીસ નામનો જુગાર ૨મી રમાડી રેઈડ દરમ્યાન ફુલ રૂમ.૩૭૩૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

નંદનવન સોસાયટીમાં જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા

જામનગર : સીટી શ્નહ્ય્લૃ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ફૂુલદીપસિંહ જશવતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯-૯-૧૯ ના નંદનવન સોસાયટી શેરી ન.-૧, રણજીતસાગર રોડ, જામનગરમાં આ કામના આરોપી પરેશભાઈ શાતિલાલ તારપરા, જાફર ઈકબાલ કીડીયા, હાજી સીદીકભાઈ ખફી, દિલીપભાઈ જેસંગભાઈ ભટી, વિપુલભાઈ અમૃતભાઈ ગોરી, રાજેન્દ્રભાઈ ખમીદાસભાઈ સોલંકી, ઈકબાલ અબ્દુલ બ્લોચ, સોહીલ ઈબ્રાહીમભાઈ બ્લોચ, મકસુદ રફીકભાઈ સૈયદ, જાહેરમાં દ્યોડીપાસાના પાસા વડે પૈસાની હારજીતનો જૂગાર ૨મી રમાડી રમતા રેઈડ દરમ્યાન રોકડા રૂમ.૧૦૮૦૦/- ના મુદમાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

બિમારી સબબ મહિલાનુ  મોત

જામનગર : મેડીકલ કોઝોસ્પીટલ રૂમ નં.૧૧૨૪, જામનગરમાં રહેતા ડો.રૂત્વી રાજેશભાઈ શાહે, ઉ..૨૩, એ સીટી ''બી'' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.પ્ન-૯-૧૯ આ કામે મરણ જનાર લિલાબેન જીતુભાઈ પરમાર, ઉ.૧.૩૦, રે. પદર્શન ગાઉન્ડ ઝૃુપડપટ્ટી, જામનગરવાળા ને કમળાની બિમારી હોય અને સારવારમાં હોય અને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

સાપ કરડી જતા વૃધ્ધનુ સારવાર દરમ્યાન મોત

જામનગર : ગાડુકા ગામે રહેતા રદ્યુવિરસિહ અભેસંગ વાધેલા ઉ.૧૩૩ એ સિકકા પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૫-૯-૧૯ આ કામે મરજ્ જનાર અભેસંગ ભુરૂભા વાધેલા, ઉ.૧.૭૦, રૈ. ગાડુકા, તા.જિ.જામનગરવાળા પોતાની વાડી એ કામ કરતા હોય ત્યારે દ્યાસનો પાથરો ઉચકાવવા જતા સાપ કરડી જતા સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લાવતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

(1:15 pm IST)