Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

અકસ્માત મૃત્યુ કેસમાં વળતર નહી ચુકવતા જુનાગઢ એસ.ટી.ની મિલ્કત જપ્તિનું વોરંટ

કોર્ટ દ્વારા કાર્યવાહી થતા રકમ ભરવાની ખાત્રી અપાતા કાર્યવાહી મોકુફ રખાઇ

જુનાગઢ તા. ર૦ : વડનગર ગામના ગુજ. પ્રવિણભાઇ પોલાભાઇ ગાધેનુ એસ.ટી.અકસ્માતે તા.૧૦/૧ર/૧રના રાજકોટ હાઇવે પર વીરપુર પાસે અવસાન થતા તેઓના વારસો દ્વારા વળતરની રકમ મેળવવા ઉના કોર્ટમાં કલેઇમ કરેલ આ કલેઇમ કેસના કામે થયેલ હુકમ મુજબની રકમ આરે ૪પ,૦૦,૦૦૦/- વસુલ મેળવવા કોડીનાર કોર્ટમાંથી બજવણી દાખલ કરેલ જે બજવણી સામાવાળા ગુજરાત એસ.ટી. નિગમને બજી જવા છતા કોર્ટમાં બજવણી મુજબની રકમ જમા ન કરાવતા જુનાગઢ એસ.ટી.ડેપોની મિલ્કત જપ્ત કરવા કોર્ટે જપ્તી વોરંટ કાઢી તા.૧૮/૯/ર૦૧૯ ના રોજ કોડીનાર ડેપોમાં આવેલજુનાગઢ -જાફરાબાદ રૂટની બસની અરજદાર તેમજ અરજદારના એડવોકેટ પ્રતાપસિંહ વી. ચાવડા તેમજ  બેલીફ દ્વારા કાર્યવાહી કરાવના જુનાગઢ એસ.ટી. ડેપો જવાબદાર અધિકારીશ્રી દ્વારા તા. ર૩/૯/ર૦૧૯ સુધીના રકમ જમા કરાવવાની લેખિતમાં બાહેધરી આપતા જપ્તી વોરંટ અંગેની કાર્યવાહી તા.ર૩/૯/ર૦૧૯ સુધી મુલ્તવી રાખેલ છ.ે

(11:27 am IST)