Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ખંભાળિયાના સલાયામાં ગતરાત્રીના પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણને પગલે ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો : ૧૬ જેટલા શખ્સો સામે ગુનો નોંધાયો

મામલો બિચકયાનું ખરું કારણ શું : તપાસના ધમધમાટ વચ્ચે સલાયામાંથી કોઈ ખાનગી રહે કોઈ મોટું ઓપરેશન પાર પાડવામાં આવે તો નવાઇ નહીં

ખંભાળિયાના સલાયામાં ગતરાત્રીના પોલીસ અને પબ્લિક વચ્ચે થયેલા ઘર્ષણના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ગતરાત્રીથી જ પોલીસનો ચાપતો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો આ ઉપરાંત વધુ કોઈ બનાવ ન બને તે માટે શાંતિ અને સુરક્ષાને ધ્યાને રાખી 50 જેટલો પોલીસનો બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે. જ્યારે આજરોજ જિલ્લા પોલીસ વડા તથા કલેકટર તેમજ એલ.સી.બી એસ.ઓ.જી તથા સ્થાનિક પોલીસ સહિતનો કાફલો સાંજના સમયે સલાયા પહોંચ્યો હતો અને પરિસ્થિતિ સહિતની વિગતો મેળવી હોવાનું જાણવા મળ્યું છે

બનાવમાં પોલીસે ૧૬ જેટલા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો તે પૈકીના લગભગ શખ્સોને નજરકેદ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે જ્યારે બીજીબાજુ બિનસત્તાવાર રીતે મળતી માહિતી મુજબ સલાયા માંથી કોઈ ખાનગી રહે કોઈ મોટું ઓપરેશન પાર પાડવામાં આવે તો આગામી દિવસોમાં નવાઇ કહી શકાય તેમ નથી.

માત્ર તાજીયા બાબતે જ આ આખો મામલો સળગ્યો હતો કે પછી અન્ય કોઈ બાબત પડદા પાછળ છે ? તે અંગે પણ અતિગુપ્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

(8:17 pm IST)