Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

મોરબી પરશુરામધામ ખાતે નવનિર્મિત કોમ્યુનિટી હોલનું વિધાનસભા અધ્યક્ષ ના હસ્તે લોકાર્પણ : રામભાઈ મોકરીયાની ખાસ ઉપસ્થિતિ.

 મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે નવનિર્મિત કોમ્યુનિટી હોલનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીને હસ્તે નવનિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે તેઓએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.
મોરબીના પરશુરામધામ ખાતે ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ગ્રાન્ટ તથા મોરબી નગરપાલિકા અને પરશુરામધામના આર્થિક યોગદાનથી કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આથી પરશુરામધામ ખાતે નવનિર્મિત કોમ્યુનિટી હોલના લોકાર્પણ કાર્યક્રમનું પરશુરામધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું હતું. પરશુરામધામ ખાતે યોજાયેલા આ કર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીને હસ્તે નવનિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષએ રામ મંદિરથી મંડીને ભાજપ સરકાર અને વડાપ્રધાન મોદીના સુશાસનની યશગાથા વર્ણવી હતી.તેમજ બ્રહ્મ સમાજને વધુ શિક્ષિત અને સંગઠિત થઈને દેશ માટે યોગદાન આપવાની હિમાયત કરી હતી

(2:13 pm IST)