Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

અમરેલી જીલ્લા કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન

અમરેલી : જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રભારીશ્રી દિલીપભાઇ પટેલ તથા જિલ્લા પ્રમુખશ્રી ડી.કે. રૈયાણીના અઘ્યક્ષસ્થાને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તાલુકા તથા શહેર પ્રમુખો અને અગ્રણીઓને કોવિડ–૧૯ ન્યાયયાત્રા યોજવા અને મહત્વના મુદાઓ બાબતે અગત્યની મીટીંગ યોજાઇ હતી. તે વખતની તસ્વીર.આ મીટીંગમાં સૌપ્રથમ કોરોના મહામારીમાં જીવ ગુમાવનાર મૃતકો ને શ્રઘ્ધાંજલિ પાઠવવામાં આવેલ હતી તેમજ અનેક પરિવારના મોભીઓ અને સાથીઓ ગુમાવ્યાનું સૌ કોઇએ દુઃખ વ્યકિત કર્યુ હતું.અને કોરોનાના મૃતકોને વળતર -વારસદારોને નોકરી સહિતનાં પ્રશ્નોને વાચા આપવા ન્યાય યાત્રાનું આયોજન કરાયું હતું. આ મીટીંગમાં જિલ્લા પ્રભારીશ્રી દિલીપભાઇ પટેલ, જિલ્લા પ્રમુખશ્રી ડી.કે. રૈયાણી, જિલ્લા પંચાયત નેતા પ્રભાતભાઇ કોઠીવાળ, જિલ્લા મહામંત્રી જનકભાઇ પંડયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી મનીષભાઇ ભંડેરી, શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી સંદીપભાઇ પંડયા, જસમતભાઇ ચોવટીયા, આંબાભાઇ કાકડીયા, દિલીપભાઇ સાવલીયા, ખોડાભાઇ માલવીયા, રવજીભાઇ પાનસુરીયા, વિશાલભાઇ માલવીયા, ચિરાગભાઇ પરમાર સહિત જિલ્લાના તાલુકા અને શહેર સમિતિના પ્રમુખશ્રીઓને અને ચુંટાયેલા પ્રતિનિધીઓ હાજર રહયા હતા.

(12:59 pm IST)