Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

ગોંડલમાં મનસુખભાઇ માંડવીયાએ ડો. રાદડિયા સાથેની દોસ્તી યાદ કરી : કોરોના વોરીયર્સનું સન્માન

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૦ : જન આશિર્વાદ યાત્રા સાથે ગોંડલ આવી પહોંચેલા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનું મેડીકલ એસોસિએશન વતી જાણીતા સેવાભાવી તબીબ ડો.કે.બી.રાદડીયા ઉપરાંત ડો.વાડોદરીયા સહીત સન્માન અભિવાદન કરાયું હતું. આ વેળા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ ડો.રાદડીયા સાથેના જુનાં સ્મરણો યાદ કરી તેઓની તબીબી સેવાને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે મનસુખભાઈ માંડવીયા તથાં ડો.રાદડીયા બન્ને તબીબી ક્ષેત્રમાં સંકળાયેલા હોય જુનાં મિત્રો છે. બન્ને એ જુનાં દિવસોની યાદને તાજી કરી હતી.

કોરોનાની બીજી લહેરમાં કઠીન પરિસ્થિતિ વચ્ચે અત્રેની સિવીલ હોસ્પિટલમાં ઉમદા અને માનવતાવાદી સેવા આપનારા સામાજીક કાર્યકર પ્રફુલભાઇ રાજયગુરૂનું કોરોના વોરીયર્સ તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનાં હસ્તે સન્માન કરાયું હતુ. એપીએમસી દ્વારા સન્માનિત મોમેન્ટો કેન્દ્રીય મંત્રીનાં હસ્તે પ્રફુલભાઈ રાજયગુરૂને અર્પણ કરાયો હતો.

(12:46 pm IST)