Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

વાંકાનેરમાં કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઇ મુંજપરાનું સન્માન

(નિલેશ ચંદારાણા) વાંકાનેર તા. ર૦ :.. ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજયના જુદા જુદા જીલ્લા-તાલુકામાં શરૂ થયેલ 'જન આર્શિવાદ યાત્રા' વાંકાનેર શહેર-તાલુકામાં મહારાણા રાજ શ્રી કેશરીદેવસિંહજી ઝાલાના નેતૃત્વ હેઠળ ફરી હતી આ યાત્રામાં કેન્દ્રીય મંત્રીશ્રી ડો. મહેન્દ્ર મુંજપરા સાથેનો કાફલો વાંકાનેર પધારતા તેમનું અદકેરૂ સન્માન કરવામાં આવેલ.

જન આર્શિવાદ યાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી દિવાનપરા સ્ટેચ્યુ ચોક પાસે પહોંચતા ત્યાં વાંકાનેર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ જયેશભાઇ ઓઝા, ઉપપ્રમુખ રાજેશભાઇ મઢવી (એડવોકેટ એન્ડ નોટરી), પ્રમોદભાઇ  અત્રી, રાજુભાઇ રાવલ, રજનીભાઇ રાવલ, યોગેશભાઇ પંડયા, જયેશ મહેતા, હકાભાઇ ઓઝા સહિતના અગ્રણીઓએ તેમનું શાલ અને પુષ્પહારથી સન્માન કર્યુ હતું.

(11:44 am IST)