Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

કોટડાસાંગાણીના નાથ માંડવામાંથી પરિણીતા ૨ સંતાનો સાથે લાપતા

(બશીર બાંગા દ્વારા) કોટડાસાંગાણી,તા. ૨૦: પોલીસ ફરિયાદમાં કનુભાઈ ભીમજીભાઈ ડોબરીયા રહે.નાના માંડવા વાળાએ જણાવ્યું છે કે તેની પત્ની મનીષાબેન ઉ.વ.૩૨ તથા દીકરી ક્રિષ્ના ઉ.વ.૭ તથા દીકરો દેવ ઉ.વ.૩ રહે.નાનામાંડવા તા.૨૮/૦૭/૨૦૨૧ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યા થી સાડા દશેક વાગ્યાના વચ્ચે પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર બન્ને બાળકો સાથે જતા રહેલ છે.

આ બાબતે કોઈને જાણ થાય તો કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન ખાતે અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અથવા કોટડા સાંગાણી પોસ્ટે ફોન નંબર-(૦૨૮૨૭)૨૭૬૨૨૬ તપાસ કરનાર-એચ.યુ.પરમાર મો.૯૦૯૯૫૬૪૨૯૨, ૮૨૦૦૯ ૩૮૦૧૮ ઉપર જાણ કરવા જણાવ્યું છે.

(11:42 am IST)