Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

મોરબીના વિસીફાટક નજીક માલગાડીની ઠોકરે આધેડ ઈજાગ્રસ્ત :પગનો પંજો કપાયો

રેલ્વે પાટા ક્રોસ કરવા જતા આધેડ ટ્રેનની હડફેટે

મોરબીના વીસીફાટક નજીક આજે બપોરના સુમારે અકસ્માત સર્જાયો હતો જેમાં એક માલગાડી પસાર થતી હોય જેની ઠોકરે આવી જતા એક આધેડના પગનો પંજો કપાયો હતો જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા

બનાવની મળતી વિગતો પ્રમાણે નવલખીથી વાંકાનેર તરફ જતી માલગાડી આજે બપોરે ૦૨ : ૪૫ કલાકે મોરબીના વીસીફાટક નજીક પહોંચી ત્યારે રેલ્વે પાટા ક્રોસ કરવા જતા આધેડ ટ્રેનની હડફેટે આવી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા

 બનાવ અંગે રેલ્વે પોલીસના રતિલાલભાઈ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર માલગાડીની ઠોકરે આવી જતા અજય કાંતિલાલ અનડકટ (ઉ ૪૪) નામના વ્યક્તિને ઈજા પહોંચી છે જેના પગનો એંક પંજો કપાયો હોય જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડી રેલ્વે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:57 pm IST)