Gujarati News

Gujarati News

News of Friday, 20th August 2021

મોરબીના શનાળા ગામે માનસિક બીમાર આધેડનું કુવામાં પડી જતા મોત

મોરબીના શનાળા ગામે બુધવારે કુવામાં પડી જતા એક આધેડનું મોત થયું હતું જે બનાવમાં મૃતક માનસિક બીમાર હોય જે કુવામાં પડી જતા મોત થયાની માહિતી પ્રાપ્ત થઇ છે

  મોરબીના શકત શનાળા ગામના રહેવાસી હિતેશ ઉર્ફે ભૂરો ખીમજીભાઈ છનીયાળા (ઉ.વ.૩૮) નામના આધેડ શનાળા ગામે કુવામાં પડી જતા મોત થયું હતું જે બનાવ મામલે પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે મૃતકને મગજની બીમારી હોય જેના કારણે કુવામાં પડી જતા મોત થયાનું જાણવા મળ્યું છે તો એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(10:36 pm IST)