Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

કંડલા પોર્ટના કામદાર નેતા મનોહર બેલાણીનું કોરોનાથી મોત

૬૫ વર્ષીય બેલાણીને ગઈકાલે કોરોના ડિટેકટ થયો હતો.: કચ્છમાં કોરોનાથી આ ૧૮ મું મોત

ભુજ : પોઝિટિવ કેસ અને મોતની વધતા જતા આંકડા સાથે હવે કોરોનાએ કચ્છમાં ફફડાટ મચાવી દીધો છે. કંડલા પોર્ટના પૂર્વ ટ્રસ્ટી અને કામદાર યુનિયનના નેતા મનોહર બેલાણીનું કોરોનાથી આજે રાત્રે મોત નીપજ્યું છે. તેઓ કંડલા પોર્ટના ઝુઝારુ  કામદાર નેતા હતા.

 ૬૫ વર્ષીય બેલાણીને ગઈકાલે કોરોના ડિટેકટ થયો હતો. જોકે, તેમની તબિયત ગઈકાલથી જ વધુ અસ્વસ્થ હતી.

કચ્છમાં કોરોનાથી આ ૧૮ મું મોત છે. તો, અત્યાર સુધી પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને ૩૪૮ થઈ ગઈ છે.

(10:23 pm IST)