Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

સોમવારે જામનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા સમુહ ભોજન-રકતતુલા

સી.આર. પાટીલ, રત્‍નાકરજી, હર્ષ સંઘવી સહિતનાની ઉપસ્‍થિતિમાં ધર્મેન્‍દ્રસિંહ જાડેજા (હકુભા) અને રીવાબા જાડેજાના રકતતુલા કરાશે : રાત્રીના કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહિર, કિંજલ દવેનો લોક ડાયરો

જામનગરમાં ક્ષત્રિય સમાજ આયોજીત કાર્યક્રમની માહિતી પત્રકાર પરિષદમાં આપતા આયોજકો નજરે પડે છે. (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૦ :  તા. રરને સોમવારે જામનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા સમુહભોજન તથા રકતતુલાનું ભવ્‍ય આયોજન પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સહિતનાની ઉપસ્‍થિતિમાં કરાશે જેની પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી.

જામનગર અને દેવભૂમિ દ્વારકા રાજપૂત સેવા સમાજ દ્વારા સૌપ્રથમવાર રાજપૂત સમાજનું વાત્‍સલ્‍ય જમણવાર હાલારનો નવો રાજપૂત સમાજનો ઈતિહાસ કંડારવા જઈ રહયું છે, રાષ્‍ટ્રવીર ક્ષત્રિયકુળના શિરોમણિ અને વીર યોદ્ધા શ્રી મહારાણા પ્રતાપની જન્‍મજયંતીની વિશિષ્ટ ઉજવણી પ્રસંગે સૌરાષ્‍ટ્ર રાજપૂત સમાજની તન - મન - ધનથી ઉમદા સેવા કરતા રાજપૂત સમાજના ગૌરવરૂપ વ્‍યકિત વિશેષ શ્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા (હફુભા), પૂર્વ રાજયમંત્રી, ગુજરાત રાજય હાલારના પ્રથમ રાજપૂત મહિલા ધારાસભ્‍ય અને આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટર રવિન્‍દ્રસિંહ જાડેજાના ઘર્મપતિ રીવાબા જાડેજાનું રક્‍તતતુલા દ્વારા બંને મહાનુભાવોનું સન્‍માન સમારંભ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર. પાટિલ ના અધ્‍યક્ષસ્‍થાને યોજાનાર હોઈ જેને લઈને રાજપૂત સમાજમાં અનેરા ઉત્‍સાહનું મોજું અને યુવાધનમાં આ ઉત્‍સવને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા આગામી સોમવારે મોટાપાયે સામાજિક-સાંસ્‍કળતિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આ આયોજનના ભાગરૂપે મુખ્‍ય અને મહત્‍વનો કાર્યક્રમ છે. સન્‍માન અને રકતતુલાનો. જામનગર ઉત્તર (૭૮) બેઠકના ધારાસભ્‍ય તરીકે ૨૦૧૨થી ૨૦૨૨ સુધી (૧૦ વર્ષ) સેવા આપનાર ધર્મેન્‍દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) અને તાજતેરની ચૂંટણીમાં ધારાસભ્‍ય તરીકે વિજેતા થનાર રિવાબા રવિન્‍દ્રસિંહ જાડેજાને સન્‍માનવા તેઓની રકતતુલા કરવામાં આવશે.

આ કાર્યક્રમના અધ્‍યક્ષ તરીકે  સી.આર. પાટિલ (પ્રદેશ પ્રમુખશ્રી, ગુજરાત ભાજપ તથા સાંસદ, નવસારી), રત્‍નાકરજી (પ્રદેશ સંગઠન મહામંત્રી - ગુજરાત ભાજપ),  હર્ષભાઈ સંઘવી  (ગળહ રાજ્‍યમંત્રીશ્રી - ગુજરાત),  આરસી. કળદુ  (પૂર્વ મંત્રી ગુજરાત રાજ્‍ય તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ - ગુજરાત ભાજપ),  ભૂપેન્‍દ્રસિંહજી ચુડાસમા  (પૂર્વમંત્રી- ગુજરાત રાજ્‍ય તથા વરિષ્ઠ આગેવાન, ગુજરાત રાજપૂત સમાજ), પ્રદીપસિંહજી વાઘેલા  પ્રદેશ મહામંત્રી- ગુજરાત ભાજપ), નરેશભાઈ પટેલ , પ્રમુખ ખોડલધામ સમિતિ - કાગવડ),   ડો. ભરતભાઈ બોઘરા  (પ્રદેશ ઉપપ્રમુખ  - ગુજરાત ભાજપ),  રઘુભાઈ હુંબલ પ્રદેશ મંત્રીશ્રી - ગુજરાત ભાજપ),  ડો. જયેન્‍દ્રસિણ્‍જી જાડેજા (મેનેજીંગ ડિરેક્‍ટરશ્રી - અખિલ ગુજરાત રાજપૂત- યુવા સંઘ ગુજરાત પ્રદેશ), રાજભા ચુડાસમા (મામા સરકાર - માંગરોળ), ડો. યોગરાજસિંહજી. જાડેજા (જાબીડા) (પ્રમુખ -  મહારાણા પ્રતાપ સ્‍મળતિ સંસ્‍થાન (MPPS) - રાજકોટ) હાજરી આપશે.

મહારકતદાન શિબિરનો કાર્યક્રમ પટેલ કોલોની શેરી નં.૧૨, (ગાંધીનગર રોડ)માં આવેલ ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી (વિશ્વકર્મા બાગ) ખાતે તા.૨૨મે સોમવારના રોજ યોજાયેલ છે, બંને મહાનુભાવોની રકતતુલા કર્યા બાદ આ રકતનું દાન જી.જી.હોસ્‍પિટલ સંલગ્ન બ્‍લડબેંકને કરવામાં આવનાર છે. આ પ્રસંગે આશરે ૧૫ હજાર વધુ લોકોનો ભોજન સમારોહ પણ યોજાશે. આ ઉપરાંત રાત્રે પદ્મ બેન્‍કવેટ હોલ-પાર્ટી પ્‍લોટ ખાતે લોકડાયરો યોજાનાર છે જેમાં કિર્તીદાન ગઢવી, કિંજલ દવે અને માયાભાઈ આહીર શ્રોતાઓને ડોલાવશે.

  બ્‍લડ ડોનેશન કેમ્‍પ ગુર્જર સુતારજ્ઞાતિની વાડી, ગાંધીનગર મેઈન રોડ, બપોરના ર થી સાંજે ૭ દરમ્‍યાન તથા શોભાયાત્રા સાંજે ૦૬-૦૦ કલાકે ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, ગાંધીનગરથી પ્રસ્‍થાન કરશે, આ શોભાયાત્રામાં અનેક રાજપૂત સમાજના આગેવાનો સહિતના લોકો જોડાશે ઠેર-ઠેર સ્‍વાગત કરવામાં આવશે,/આ શોભાયાત્રા શ્રી મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્‍પાંજલિ રાત્રે ૯  વાગ્‍યે ક્રિકેટ બંગલો પાસે કરશે, રાજપૂત વાત્‍સલ્‍ય ભોજનના દાતા તરીકે પૂર્વ રાજયમંત્રી અને ચેરમેન ભાગ્‍યલક્ષ્મી એજયુકેશન ટ્રસ્‍ટ (ટ્રસ્‍ટી ધર્મેન્‍દ્રસિંહ મેરભા જાડેજા જોડાયેલ છે. અને રાત્રે ૦૯-૦૦ કલાકે ભવ્‍ય લોકડાયરો તેમજ રાત્રિના ૧૦ કલાકે રક્‍તતુલાનો કાર્યક્રમ અને સન્‍માન સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું છે

(1:14 pm IST)