Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

વાંકાનેરના કોરોના પોઝીટીવ દર્દીનો રિપોર્ટ નેગેટીવ આવતા રાહત

વાંકાનેર તા. ૨૦: અરૂણોદય સોસાયટીમાં રહેતા ૬૨ વર્ષના જીતુભા ઝાલાને દશ દિવસ અગાઉ રાજકોટ હોસ્પિટલમાં સારવાર અર્થે ગયેલા જયાં તેમનો કોરોના ટેસ્ટ કરતા પોઝીટીવ રીપોર્ટ આવેલ હતો. તેઓને નવ દિવસની સારવાર બાદ તેમના રીપોર્ટ નેગેટીવ આવેલ છે તેમ  વાંકાનેરના પ્રાંતઃ  અધિકારી શ્રીવસાવાએ જણાવ્યુ છે.

અરૂણોદય સોસાયટીના રસ્તે પતરા થી સીલ કરવામાં આવેલ છે. ૨૫૩ જેટલા લોકોને હોમ કોરેન્ટાઇન ઉપર રાખેલ છે તેમજ અરૂણોદય  સોસાયટીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવેલ છે. જીતુભા ઝાલાના સંપર્કમાં જે-જે લોકો હતા તેમના રીપોર્ટ પણ નેગેટીવ આવેલા છે.

(11:37 am IST)