Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

૧૨૦૦ પ્રવાસીઓ સાથે મુંબઈથી કચ્છની ટ્રેન થઈ રવાના

*સામખીયાળી ખાલી થશે, ધારાસભ્ય સંતોકબેન અને ભચુભાઈ આરેઠીયાએ આપી લીલીઝંડી

(ભુજ) મુંબઈથી કચ્છ તરફની ટ્રેન આજે સાંજે ૬/૪૦ વાગ્યે બોરીવલીથી રવાના થઈ ગઈ છે. જે કાલે સવારે ૬ વાગ્યે સામખિયાળી પહોંચશે. રાપરના ધારાસભ્ય સંતોકબેન પટેલ અને તેમના પતિ ભચુભાઈ આરેઠીયાએ આ ટ્રેનને લીલીઝંડી આપી હતી. ટ્રેનમાં ૧૨૦૦ પ્રવાસીઓ છે.

(8:07 pm IST)