Gujarati News

Gujarati News

News of Monday, 20th May 2019

ધોરાજી-ઉપલેટા ખેડૂતોના પાક વિમા ઘાસચારા સહિત પ્રશ્ને મુખ્યમંત્રીને રજૂઆત

ધોરાજી તા.૨૦ : ધોરાજી-ઉપલેટાના ખેડૂતોને પાક વિમો, ઘાસચારો મરજીયાત વિમા પ્રિમીયમ, ચેકડેમો બાબતે કિશાનસંઘે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

ધોરાજી-ઉપલેટાના ખેડૂતોને હજૂ સુધી મગફળી - કપાસનો વિમો મળેલ નથી. વિમા કંપની તરફથી ધિરાણ વખતે વિમાની તગડી રકમ કાપી લીધેલ છે. સર્વે વખતે ખેડૂતોને વિશ્વાસમાં લીધેલ નથી. આ વર્ષ ખેડૂતો માટે બહુ મુશ્કેલ છે. ખેડૂતોને તત્કાલીક મગફળી - કપાસનો પાક વિમો ખેડૂતોના પશુઓ માટે ઘાસચારો, આગામી વર્ષમાં ધિરાણમાંથી મરજીયાત પાક વિમો તેમજ જૂના ચેક ડેમો ઉંડા ઉચારવા રીપેર કરવા નવા ચેક ડેમો મંજૂર કરવાની કાર્યવાહી દિવસ આઠમાં કરવાની ભારતીય કિસાન સંઘની રજૂઆત છે.

(12:00 pm IST)