Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

જૂનાગઢ શહેરમાં ભિક્ષા માંગવા નીકળેલા વૃધ્‍ધાનું રિક્ષા હડફેટે મોત

અકસ્‍માત બાદ નાસી છુટેલા રિક્ષા ડ્રાઇવરની શોધખોળ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૦ : શહેરમાં મજેવડી દરવાજા પાસે આવેલ મહાસાગર ટ્રાવેલ્‍સની ઓફિસ પાસેના વિસ્‍તારમાં રહેતા શાંતાબેન ઠાકરશીભાઈ સોલંકી ઉ. વ. ૬૮ નામના વૃદ્ધા ગુરૂવારે સવારે ૧૦.૩૦ કલાકે પોતાના ઘરેથી નીકળી ભિક્ષાવૃત્તિ માટે જતા હતા.

ત્‍યારે મહાસાગર ટ્રાવેલ્‍સની ઓફિસ પાસે રોડ ક્રોસ કરતા હતા. એ વખતે પુરઝડપે આવેલી અજાણી રિક્ષાના ચાલકે હડફેટે લઇ ઠોકર લગાવતા ગંભીર ઈજા થતા શાંતાબેનને સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. અકસ્‍માત રીક્ષા ચાલક નાસી ગયો હતો.

સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નીપજતાં મળતકના જામનગર ખાતે રહેતા પુત્ર ધીરુભાઈ ઠાકરશીભાઈ સોલંકીએ ફરિયાદ કરતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્‍માત સર્જી અને વૃદ્ધાનું મોત નિપજાવી નાસી છૂટેલા રીક્ષા ડ્રાઇવરની ધરપકડ માટે પીએસઆઈ જે. આર. વાજાએ વધુ તપાસ હાથ ધરી છે.

(12:17 pm IST)