Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

દેલવાડામાં પવનપુત્ર હનુમાનજીની જન્મ જયંતિ ઉજવાઇ

 ઉનાના દેલવાડામાં બાલ હનુમાન ગ્રુપ દ્વારા અંજનિપુત્ર બજરંગ બલીના જન્મ દિવસ નિમિત્તે બાલ હનુમાન મંદિરથી શ્રી રામ મંદિર સુધી પાલખી યાત્રા કાઢવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારબાદ કપિરાજ મહાદેવના મંદિરમાં પૂજા, અર્ચના, આરતી, હનુમાન ચાલીસા સહિત સમુહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો તમામ ભકતજનોએ લાભ લીધો હતો તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ નીરવ ગઢીયા, ઉના)

(4:30 pm IST)