Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

સુત્રાપાડામાં ભગવાન પરશુરામજીની જન્મજયંતી નીમીતે શોભાયાત્રા યોજાઇ

સુત્રાપાડા શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ નિમિતે સમાજના દરેક વડીલો, યુવાનો, બહેનો અને બાળકો દ્વારા શહેરના મુખ્ય માર્ગ પરથી વિશાળ જનમેદનીની સાથે શોભાયાત્રા નીકળી હતી. અને શોભાયાત્રા દરમ્યાન ભગવાન પરશુરામજી ગણપતિજી અને શિવજીની વેશભૂષા પણ કરવામાં આવેલ હતી ત્યાર બાદ બ્રહ્મપુરીમાં સાંજના સમયે કથાનું આયોજન કરેલું હતું અને પરશુરામજીની વિશેષ મહાપૂજા-અર્ચન કરવામાં આવી હતી. તેમજ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા રાતના સમૂહ બ્રહ્મ પ્રસાદિ આયોજન કરવામાં આવેલું હતું જેમાં મોટી સંખ્યામાં વડીલો, યુવાનો, બહેનો, બાળકો સૌએ સાથે મળીને મહાપ્રસાદી લીધેલી અને ભગવાન પરશુરામજી પાસે આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી હતી તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર રામસિંહ મોરી સુત્રાપાડા)

(11:35 am IST)