Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

જામનગર : કોંગ્રેસના હિનકક્ષાના પ્રયત્નોને વખોડતો સૌરાષ્ટ્ર દલિત સમાજ

જામનગર તા. ૨૦ : સૌરાષ્ટ્ર દલિત સમાજના પ્રમુખ મનોજભાઇ મકવાણાએ જણાવ્યું છે કે, ભારતમાં દલિત સમાજ માટે જે વાતાવરણ સર્જાયું છે તેનો ગેરલાભ ઉઠાવીને અને દલિતોને ભરમાવીને કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો, ભાજપ વિરૂધ્ધ મત મેળવવા માટે હિનકક્ષાના પ્રયત્નો કરે છે જે વખોડવા લાયક છે.

મનોજભાઇ મકવાણાએ વધુમાં જણાવ્યું કે, જો કોંગ્રેસ રાજકીય પવિત્રતા નહી જાળવે તો દલિત સમાજના ઘરે ઘરે જઇને દલિત જનજાગૃત અભિયાન ચલાવવામાં આવશે અને ૨૦૧૯ની દ્રાક્ષ ખાટી કરી નાંખશે તેમ અંતમાં મનોજભાઇ મકવાણાએ જણાવ્યું છે.

(11:29 am IST)