Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

મોરબીમાં આર્થિક ભીંસથી કંટાળી યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો

-બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી : પરિવારમાં શોકનો માહોલ

મોરબીના પંચાસર રોડ પરના ભરતનગર વિસ્તારના રહેવાસી રફીક અલીભાઈ રાઉંમાં (ઉ.વ.૩૫) નામના યુવાને ગઈકાલે બપોરના સુમારે ઝેરી દવા પી જતા મોરબી પ્રાથમિક સારવાર આપી રાજકોટ વધુ સારવાર અર્થે ખસેડાયા હતા યુવાનનું રાજકોટ સારવાર દરમિયાન મોત થયું છે જે અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ યુવાન આર્થિક ભીંસમાં હોય જેથી કંટાળી દવા પી આપઘાત કર્યો છે મૃતક યુવાનને બે બાળકો હોય જેને પિતાની છત્રછાયા ગુમાવી છે યુવાનના આપઘાતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે

(12:45 am IST)