Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

જેતપુર શ્રી સ્વામી નારાયણ મંદિરે શ્રીમદ સત્સંગી જીવન પંચાન્હ પારાયણનો પ્રારંભ

 નવાગઢ, તા., ર૦:  જેતપુરનું શ્રી સ્વામીનારાયણ મંદિર વરદાન ભુમી તરીકે પ્રસિધ્ધ છે આવા ગૌરવવંતા મંદિરમાં ૮૦ મો પાટોત્સવ અંતર્ગત તા.ર૦ થી ર૪ શ્રીમદ સત્સંગી જીવન પંચાન્હ પારાયણનો પ્રારંભ થશે. તા.ર૦ને બપોરે ૩.૩૦ કલાકે પૂ. ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં ભવ્ય પોથીયાત્રા જયારે બપોરે ૪.૩૦ કલાકે આ પંચાન્હ પારાયણનો વિધિવત દિપ પ્રગટાવી પૂ. શ્રી ધર્મચરણદાસજી સ્વામી (નવાગઢ) પૂ.શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી (વડીયા) પૂ.શ્રી મોહન પ્રસાદજી સ્વામી (પીપલાણા) પૂ. શ્રી દેવપ્રસાદ સ્વામીજી (વંથલી) પ્રારંભ કરાવશે વડતાલ પિઠાધીપતી પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજના આશીવાદ તથા ગુરૂવર્ય પ.પૂ.શ્રી નિલકંઠ ચરણદાસજી સ્વામીની પ્રેરણાથી ભગવાન શ્રી સ્વામી નારાયણના ચરીત્રોથી સભર ગ્રંથરાજ શ્રીમદ સત્સંગ ગ્રંથની પારાયણનું રસપાન કરાવવા શ્રી નિલકંઠ ચરણદાસજી સ્વામી તથા વિવેક સાગરદાસજી સ્વામી સંગીતની સુરાવલી સાથે હરીભકતોને કરાવશે. આ રૂડા અવસરે અન્નકુટ દર્શન અભીષેક દર્શન આચાર્ય મહારાજશ્રી તથા અનેકોધામથી પધારેલ સ્વામીશ્રીના આશીવર્ચનનો લાભ પણ હરીભકતોને મળશે.

આ તકે રાજકીય સંતો સર્વશ્રી જયેશભાઇ રાદડીયા (મંત્રીશ્રી) રાજુભાઇ પટેલ (ભાજપ સર્વેસર્વા) જગદીશભાઇ પાંભર (ભાજપ અગ્રણી) પ્રશાંત કોરાટ (યુવા ભાજપ પ્રમુખ) તદઉપરાંત સ્વામીનારાયણ સંપ્રદાયના હરીભકતો સમા અગ્રણી વજુભાઇ આંબલીયા (જેતપુર) બાબુભાઇ દોંગા, વીરજીભાઇ વેકરીયા, મનસુખભાઇ વાઘાણી, કાંતીભાઇ કાપડીયા, નીલેશભાઇ આંબલીયા, મનસુખભાઇ કાપડીયા, ગોરધનભાઇ વેકરીયા, ચંદુભાઇ ઠુમ્મર, નરેન્દ્રભાઇ બાલધા, ધીરૂભાઇ શેખડા, રફીકભાઇ મુસાણી, મગનભાઇ વાગડીયા, રણછોડભાઇ સરધારા, રવીભાઇ આંબલીયા, સહીતના ઉપસ્થિત રહેશે.

આ રૂડા પ્રસંગનો લાભ લેવા તમામ હરીભકતોને શ્રી સ્વામી નારાયણ ગાદીસ્થાન તીર્થધામ જેતપુર ટ્રસ્ટી મંડળ તરફથી સાધુ વિશ્વ મંગલદાસજીએ અપીલ કરી છે. (૪.૭)

 

(3:27 pm IST)