Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

વિદ્યાભારત-વાંકાનેર સંકુલ દ્વારા મોૈન રેલી દ્વારા શ્રધ્ધાંજલી અર્પીત

વાંકાનેર :  પુલવામા CRPF ના જવાનોની ટુકડી પર કરવામાં આવેલ આત્મઘાતી હુમલામાં શહીદી વહોરનાર ૪૪ શહીદોની શહાદતને શ્રધ્ધાંજલી હેતુથી શ્રી વી.એ. મહેતા વિદ્યાભારતની શૈક્ષણિક સંકુલ દ્વારા એક મોૈન રેલીનું આયોજન કરેલ. આ મોૈન રેલીમાં  કુલ ૫૦૦ થી વધુ  વિદ્યાર્થીઓ ઉપરાંત સંસ્થાના પ્રમુખ લલિતભાઇ મહેતા તથા  ટ્રસ્ટીઓ પ્રધાનચાર્યશ્રીઓ, આચાર્યો તેમજ નગરનાં ઘણા રાષ્ટ્રપ્રેમી લોકો સ્વયંભૂ  જોડાયેલ. નગરજનો દ્વારા પણ રેલી પસાર થતી વખતે પોતાના સ્થાન પર ઉભા થઇ પોતાની રાષ્ટ્ર પ્રત્યેની  પ્રતિબધ્ધતા  પ્રદર્શિત કરી હતી તે પ્રસંગની તસ્વીર (૩.૨)

 

(11:59 am IST)