Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

ધોરાજીમાં વિવિધ સંસ્થાઓ,હિન્દુ મુસ્લીમ સમાજના લોકો દ્વારા વિરાટ મોન રેલી કાઢીને વિર જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ

ધોરાજી, તા.૨૦:- ધોરાજીની તમામ સંસ્થાઓ, આગેવાનોએ આતંકવાદીહુમલાને વખોડયો નાયબ કલેકટરને આવેદનપત્ર અપાયુ. વેપાર ઉધોગ મહામંડલ પ્લાસ્ટીક એસોસિએશન મેમણ સમાજ મુસ્લિમ સમાજ વિગેરે સંસ્થાઓ,હિન્દુ મુસ્લીમ સમાજના લોકો દ્વારા વિરાટ મોન રેલી કાઢીને વિર જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ હતી.

જમ્મુ અને કાશ્મીરમા આતંકવાદી હુમલામા શહીદી વહોર નાર વિર જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે ધોરાજી વેપાર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા ધોરાજી પાંજરાપોળ અને જૈન સમાજના અગ્રણી કાર્તિકેય પારેખ લલિતભાઈ વસોયા ૃર્શ્રી અફરોજ લાકકડકુતા ભુપતભાઇ કોયાણી સી.સી.અંટાળા વિગેરે અગ્રણીઓ તેમજ બજરંગ ગૂપ સહિતની સંસ્થાઓ ધોરાજીના હિન્દુ મુસ્લીમ સમાજના અગણી ઓની વિરાટ મોન રેલી કેન્ડલ માચ યોજીને વિર જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ હતી ધોરાજીની વિવિધ સંસ્થાઓ અને હિનદૂ મુસ્લીમ સમાજના લોકોએ આતંકવાદી હુમલાને વખોડીને નાયબ કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી.(૨૨.૬)

(11:40 am IST)