Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

પોરબંદરમાં વીર શહીદ જવાનોના પરિવારોના લાભાર્થે એક શામ શહીદો કે નામ-લોકડાયરો

પોરબંદર તા.૨૦: વીર શહીદ જવાનોના પરિવારના લાભાર્થે એક શામ શહીદો કે નામ લોકડાયરાનું તા. ૨૨મીએ રાત્રે ૯ વાગ્યે સુદામા ચોક ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

ડાયરામાં લોકસાહિત્યકાર દેવરાજ ભાઇ ગઢવી ઉપલેટાવાળા, હરસુખ મહારાજ ચીકાસાવાળા અને તેજલબેન એરડા પોરબંદરવાળા ભાગ લેશે. ડાયરામાં જે રોકડ આવશે તે શહીદ જવાનોના પરિવારોને મોકલી અપાશે. રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર, તિરૂપતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ વલ્લભપ્રભુ સત્સંગ મંડળ તથા સંતશ્રી ત્રિકમાચાર્ય સેવા સમિતિ દ્વારા આયોજન  થયું છે. યુવા વૈષ્ણવાચાર્ય પૂ.ગો. ૧૦૮ વસંતકુમારજી મહારાજ તથા સ્વામિનારાયણ ગુરૂકુળના શાસ્ત્રી સ્વામી ભાનુ પ્રકાશદાસજી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.(૧.૬)

 

(11:38 am IST)