Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

સાવરકુંડલામાં ફુલફાગ ઉત્સવની રકમ શહીદ ફંડમાં અર્પણ કરી

મહાપ્રભુજી બેઠક ખાતે આયોજીત

સાવરકુંડલા તા.૨૦: અહિ મહાપ્રભુજીની બેઠક ખાતે પ.પૂ. શ્રી પુરૂષોતમલાલજી મહારાજશ્રી -ના સાનિધ્યમાં ફુલ-ફાગ રસીયા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ધાર્મિક કાર્યક્રમની શરૂઆતમાં પુલવામામાં વીરગતિ પામેલા શહીદોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

પૂજય પુરૂષોતમ લાલજી મહારાજની અધ્યક્ષતામા ઉપસ્થિત વૈષ્ણવ ભાઇ-બહેનોએ શહીદોને નત મસ્તકે શ્રધ્ધાંજલી આપી હતી. પૂજય બાવાશ્રીની આજ્ઞાનુંસાર ફુલ-ફાગ મહોત્સવમાં આવેલ તમામ રોકડ રકમ પુલવામાના શહીદોના ફંડમાં અર્પણ કરવામાં આવી હતી.(૧.૩)

(9:41 am IST)