Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ચોટીલા તળેટીમાં દુકાન બાબતે માથાકુટ

મહંત અને સંધી પરિવારની સામ સામી ક્રોસ રાવ

ચોટીલા ,તા.૨૦:ચામુંડા મંદિરનાં મહંત પરિવારનાં હરેશગીરી છેલગીરી ગોસાઇ સાથે આરોપી સાહિર રઝાકભાઇ સંધી, રઝાકભાઇ કાળુભાઇ દલ, દાઉદભાઇ રઝાકભાઇ દલ એ ફરીયાદીનો ચામુંડા તળેટીમાં આવેલ દુકાનનો પ્લોટ ઉપર ગે. કા દબાણ કરી કબ્જો કરેલ હોય જેનો ચોટીલા કોર્ટમાં દિવાની દાખલ હોય તેથી આરોપીઓએ તેની પાસેનું એકટીવા ફરીની કાર સાથે રોંગ સાઇડમાં ભટકાડી ફરીને મુંઢ માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવેલ છે.

સામે ક્રોસ ફરિયાદમાં ફરીયાદ રઝાક કાળુભાઇ દલે આરોપી તરીકે હરેશગીરી છેલગીરી સહિત મહંત પરિવારનાં ૧૧ વ્યકિતઓ સામે ગૂનો દાખલ કરાવેલ છે કે તળેટી જવાના રસ્તે ફરીની દુકાન આવેલ છે,ઙ્ગ બજારમાં એકટીવા સાથે હરેશગીરી એઙ્ગ ફોર વ્હીલ ભટકાડી છે દુકાને આવવા તેવો ફોન આવતા દુકાને પહોંચતા મુખ્ય આરોપી તથા હસમુખગીરી, સહિતનાં તેના પુત્રને માર મારતા હતા તેથી પતિ પત્ની બંન્ને વચ્ચે પડતા તેઓને પણ માર મારે હતો આરોપીઓ બુલેટ, સ્કોર્પિયો જેવા વાહનમાં આવેલ હિતેશગીરી તથા સુભાષગીરીનાં હાથમાં બંદુકનો જોટો હતો અને ડરાવતા ધમકાવતા કે દુકાન ખાલી કરી નાખજો નહીતો જાન થી મારી નાખીશું તેમ એફઆઈઆરમાં જણાવેલ છે.

ચોટીલા પોલીસે બંન્ને પક્ષની સામસામી ફરીયાદ દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરેલ છે.(

(1:02 pm IST)