Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

જો રોગચાળાને કારણે વધારે વિલંબ નહીં થાય તો આ પ્રોજેકટ બે વર્ષના સમયગાળામાં પૂર્ણ થઈ જશે : પરિમલભાઇ નથવાણી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૯ : શ્રી પરિમલ નથવાણી, ડાયરેકટર, કોર્પોરેટ અફેર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ જણાવ્યું હતું કે  વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ગુજરાતના જામનગરમાં આકાર લઇ રહ્યું છે. આ પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેને શ્નગ્રીન્સ ઝૂઓલોજીકલ, રેસ્કયુ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ તરીકે ઓળખવામાં આવશે. રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકાર પાસેથી તમામ જરૂરી મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે. આ પ્રાણી સંગ્રહાલય આમ જનતા માટે ખૂલ્લું રહેશે અને તે વિશ્વનાં સર્વશ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામશે. કોવિડ-૧૯ રોગચાળાને કારણે આ પ્રોજેકટમાં થોડો વિલંબ થયો છે. પરંતુ, જો રોગચાળાને કારણે વધારે વિલંબ નહીં થાય તો આ પ્રોજેકટ બે વર્ષના સમયગાળામાં પૂર્ણ થઈ જશે તેવી અમને આશા છે.  

જામનગરમાં આવેલું રેસ્કયુ સેન્ટર પ્રાણી સંગ્રહાલયથી અલગ છે અને તે આમ જનતા માટે ખૂલ્લું રહેશે નહીં. રેસ્કયુ સેન્ટર આર.આઇ.એલ.ની સામાજિક ઉત્ત્।રદાયિત્વની કામગીરીનો ભાગ છે અને ઇજા પામેલા કે માનવ સાથે સંદ્યર્ષમાં આવેલા દિપડાઓ જેવા માંસાહારી પ્રાણીઓને સાચવવા માટે રાજય સરકારના વન વિભાગને કરવાં આવેલી સહાય છે. આર.આઇ.એલ.ના શ્રી પરિમલ નથવાણી, જે વન્યજીવ ચાહક અને સંરક્ષક પણ છે, તેમણે જણાવ્યું હતું કે, આજકાલ માનવ અને વન્ય પ્રાણી અને તેમાંય ખાસ કરીને દિપડા જેવા માંસાહારી પ્રાણી વચ્ચે થતા સંદ્યર્ષ નિવારવા રાજયના વન વિભાગ માટે મોટો પડકાર છે. આ રેસ્કયુ સેન્ટર વન વિભાગને પ્રાણીઓ રાખવા માટે દ્યણું જ સહાયરૂપ બનશે. એનિમલ રેસ્કયુ સેન્ટર રાજય સરકારની સંપત્ત્િ। છે અને આર.આઇ.એલ. જવાબદાર સત્ત્।ાવાળાઓની દેખરેખમાં તેનું સંચાલન કરશે. 

રેસ્કયુ સેન્ટર સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી (સી.ઝેડ.એ.)ની નિયમનકારી મંજૂરીઓ લઇને સ્થાપવામાં આવ્યું છે અને નિયમ અનુસાર તે જાહેર મુલાકાત માટે ખુલ્લું નહીં રહે. આ સુવિધાની જાળવણી વન વિભાગ સાથેના સંકલનમાં રહીને સી.ઝેડ.એ. દ્વારા સમયાંતરે લાદવામાં આવતા નિયમનકારી ધારાધોરણો અનુસાર કરવામાં આવશે તેમ અંતમાં શ્રી પરિમલભાઇ નથવાણીએ જણાવ્યું હતું.

(3:15 pm IST)