Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

કૃષિ બીલ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવા પાછળ રાજકીય દોરી સંચાર : આર.સી. ફળદુ

જામનગરમાં ભાજપના આગેવાનો દ્વારા કોંગ્રેસ સામે પ્રહારો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૯: જામનગરમાં કૃષિબીલ અંગે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ પત્રકાર પરિષદ યોજી કૃષિબીલ અંગે ફેલાવવામાં આવી રહેલ ભ્રમણા અંગે લોકોને ગેરમાર્ગે દોરવા પાછળ રાજકીય દોરી સંચાર હોવાનું જણાવી કોંગ્રેસ પર આક્ષેપો લગાવ્યા હતા.

અને ભારતના ખેડૂતોના હિતમાં નવું કૃષિબીલ લાવવામાં આવ્યું છે.

વિરોધીઓની વાતનું ખડન કર્યું હતું. આ પત્રકાર પરિષદમાં સૌરાષ્ટ્ર ઝોનના ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર પ્રમુખ વિમલ કગથરા, ઉપાધ્યક્ષ ગોપાલભાઈ સોરઠીયા, પ્રકાશભાઈ બાંભણીયા, વિજયસિંહ જેઠવા સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. (તસવીરઃકિંજલ કારસરીયા, જામનગર)

(12:39 pm IST)