Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

માતાના મઢ મધ્યે હવે સુવર્ણ કળશ સાથે સુવર્ણ ધ્વજના દર્શન : જાગીર ટ્રસ્ટ દ્વારા મંદિરના પાંચ શિખર પર સુવર્ણ ધ્વજ સ્તંભ

(તસવીર સૌજન્ય અરવિંદ રવિલાલ શાહ, માતાના મઢ)

(વિનોદ ગાલા દ્વારા ભુજ:::કરછના મા આશાપુરા મંદિરે મુખ્ય શિખર તેમ જ મંદિરના સભાખંડ અને નાના મોટા પાંચ શિખર પર ધ્વજ સ્તંભને માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા સોનાથી મઢાયા છે. જાગીરના અધ્યક્ષ શ્રી યોગેન્દ્રસિંહજીના જણાવ્યા પ્રમાણે ૨૦૧૧ માં મંદિર ઉપર સુવર્ણ કળશની સ્થાપના સાથે ૧૨ સોનાના કળશ મુકાયા હતા. જ્યારે આ વર્ષે પાંચ ધ્વજને સોનાથી મઢવામાં આવ્યા છે. દર મહિને સુદ બીજના દિવસે માતાજીના મંદિરે  ધજા બદલવામાં આવે છે. હવે માઇભકતો માતાજીના દર્શનની સાથે સુવર્ણ કળશ તેમ જ મંદિર ઉપર લહેરાતી માતાજીની ધ્વજા સહિત સુવર્ણ સ્તંભના દર્શન કરી શકશે.

 

(10:06 am IST)