Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

જાન્યુઆરીથી જામનગર-અમદાવાદ વચ્ચે ડેઇલી માટે વિમાની સેવાનો થશે પ્રારંભ

એર ઓડિશા એરલાઇન્સ દ્વારા વિમાની સેવા અપાશે:એરલાઇન્સ દ્વારા જામનગર એરપોર્ટ પર સર્વે કર્યા બાદ નિર્ણય લેવાયો

જામનગરઃ આગામી મહિને જામનગર-અમદાવાદ વચ્ચે વિમાની સેવા શરુ થવા જઈ રહી છે જાન્યુઆરી માસથી જામનગરથી અમદાવાદ વચ્ચે વિમાની સેવાનો પ્રારંભ થશે. સંભવત આગામી 15મી જાન્યુઆરી પ્રથમ ઉડાન ભરશે.એમ મનાય છે જામનગર-અમદાવાદ વચ્ચે ડેઇલી માટે વિમાની સેવા શરૂ થશે. 

    અત્રે ઉલ્લેખનીય છે કે, એર ઓડિશા એરલાઇન્સ દ્વારા વિમાની સેવા અપાશે. ભારત સરકાર દ્વારા ઉડાન"પ્રોજેક્ટ હેઠળ નાના શહેરોને મોટા શહેરોના એરપોર્ટથી જોડવામાં આવશે.એરલાઇન્સ દ્વારા જામનગર એરપોર્ટ પર સર્વે કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે આગામી સમયમાં ગુજરાતમાં નાના શહેરોને વિમાની સેવાથી જોડવાનું અભિયાન હાથ ધરાઇ તેમ પણ મનાય રહયું છે

(9:33 pm IST)