Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

જુનાગઢના ખડીયામાં ૧૬ વર્ષની સકિલા ભુલથી એસિડ પી જતાં મોત

જુનાગઢના ખડીયા ગામે રહેતી સકિલા અકબરભાઇ બ્લોચ (ઉ.૧૬) નામની સગીરાએ  એસિડ પી લેતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

સકિલાએ સાંજે છએક વાગ્યે ઘરે એસિડ પી લેતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ જરૂરી કાર્યવાહી કરી હતી. સકિલા બે ભાઇની એકની એક બહેન હતી. પિતા અકબરભાઇ રિક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવે છે. ભુલથી તેણી એસિડ પી ગયાનું જણાવાયું હતું.

(11:50 am IST)