Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

વિજાપુર વિદ્યાસંકુલ-સિદસરનાં વિદ્યાર્થીઓની રાજયપાલ સાથે મુલાકાત

જામજોધપુરઃ શ્રી વિજાપુર વિદ્યાસંકુલ સિદસરના નિયામક અશ્વિનભાઇ જાવિયા, આચાર્ય કેવિનભાઇ ફડદુ તથા શિક્ષકો સાથે ૪૪ વિદ્યાર્થીઓ સહિત કુલ પ૦ વ્યકિતઓએ ગાંધીનગર મુકામે રાજભવન ખાતે ગવર્નરશ્રી મહામહીમ ઓ. પી. કોહલી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ગર્વનરશ્રી  દ્વારા બાળકોને ઘણાં બધાં સવાલો પૂછવામાં આવ્યા. તેના બાળકોએ ખૂબ સુંદર જવાબો આપ્યા. ત્યારબાદ પોતાના હૈયામાં ઉભરાતા ઘણાં પ્રશ્નો બાળકો દ્વારા પૂછાતા માન. ગર્વનરશ્રીએ પણ હૃદય ખોલીને જવાબ આપી બાળકોની લાગણીને સંતોષી.  ગવર્નરશ્રીને મુલાકાત માટે આમંત્રણ બદલ ખૂબ ખૂબ આભાર વ્યકત કરવામાં આવ્યો. તસ્વીરમાં વિદ્યાર્થીઓ રાજયપાલ સાથે સમુહ તસ્વીરમાં નજરે પડે છે.

(11:48 am IST)