Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

પોરબંદર-સોમનાથ લોકલ ટ્રેનનો સમયમાં ફેરફાર કરવા માંગણી

ધોરાજી તા.૧૯: પોરબંદર-સોમનાથ ટ્રેનમાં દરરોજ મુસાફરી કરતા પ્રવાસી સંગઠન ્વારા ભાવનગર રેલ્વે ડિવીઝન મેનેજરને આવેદનપત્ર પાઠવી ટ્રેન નં. ૪૯૨૯૮ના સમયમાં ફેરફાર કરવા ૬૮ જેટલા પ્રવાસીઓએ માંગણી કરેલ છે.

રોજીંદા રેલ પરિવહન મુસાફીર સંગઠનના ૬૮ જેટલા ડેઇલી પ્રવાસ કરતા પ્રવાસીઓએ ભાવનગર રેલ્વે ડિવિઝન મેનેજરને આવેદનપત્ર પાઠવતા જણાવેલ કે પોરબંદર-સોમનાથ સોમનાથ-પોરબંદર લોકલ ટ્રેનમાં  ૧ નવેમ્બરથી જે ફેરફાર થયો છે જેમા મોટાભાગના પ્રવાસીઓ નોકરીયાતોઅમજુર વર્ગ વેપારીઓને વિદ્યાર્થીઓ-મહિલાઓને મોટી તકલીફ પડે છે.

સોમનાથથી જૂનાગઢ પહોંચતી ટ્રેન નંબર ૪૯૨૯૮ નંબરની ટ્રેન જુનાગઢ ખાતે ૧૬/૩૦ નિકળવાનો સમય છે. અને જેતલસરનો નિકળવાનો સમય ૧૭/૩૦ છે. પરંતુ જુનાગઢથી નિકળવાનો સમય ૧૬/૪૫ કરવામા આવે અને જેતલસરથી ૧૮/૧૦ો સમય રાખવામા આવે તો માત્ર ૧૦ મીનીટનો સમય ફેરફાર કરવામા આવે તો તમામ પ્રવાસીઓને અનુકુળ આવે અને રોજીંદા પ્રવાસ કરતા તમામ મુસાફરોને પરેશાનીમાંથી મુકતી મળે તેથી આવેદનપત્રમાં માંગણી કરેલ છે.

માત્ર ૧૦ મીનીટ મોડી ટ્રેન ઉપાડવામા આવે તો તમામ કર્મચાીરઓ-મજુરો-નોકરીયાતો-વેપારીઓને મોટો ફાયદો થાય એમ છે. જે બાબતે રોજીંદા રેલ પરિવહન મુસાફીર સંગઠનએ ભાવનગર રેલ્વે ડિવીઝન જનરલ મેનેજરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરેલ છે.

(11:46 am IST)