Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

ભીખુભાઇ દલસાણીયા-પરિવારને સાંત્વના પાઠવતા વિજયભાઇ રૂપાણીઃ ગુરૂવારે બેસણું

ધ્રોલ-જામનગરઃ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયાના પિતાશ્રી પરસોતમભાઇ ગોરધનભાઇ દલસાણીયાનું અવસાન થતા ઘેરો શોક છવાયો છે. ગઇકાલે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ધ્રોલ ખાતે ભીખુભાઇ દલસાણીયા અને પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. આ તકે આઇ.કે.જાડેજા, ગોરધનભાઇ ઝડફીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયાના પિતાજી શ્રી પરસોતમભાઇ ગોરધનભાઇ દલસાણીયા (ઉ.વ. ૭૫)નું  કાલે સવારે જોડિયા તાલુકાના લખતર ગામેં દુઃખદ અવસાન થયેલ છે. કાલેે સવારે તેમની અંતિમયાત્રામાં પી.ડી. વસોયા, ચંદ્રેશભાઇ પટેલ, મેઘજીભાઇ ચાવડા, ડી.બી. જીવાણી સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો જોડાયા હતા. બેસણુ તા. ૨૧ને ગુરૂવારે ધ્રોલ ખાતે બપોરે ૩ થી ૫ તેમના નિવાસ સ્થાન ઉમિયા સોસાયટી ખાતે તેમજ તેમના વતન લખતર ખાતે તા. ૨૧ને ગુરૂવારે રાત્રીના ૮ થી ૯ પટેલ સમાજ ખાતે રાખેલ છે. તસ્વીરમાં ભાજપના મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા અને પરિવારજનોને સાંત્વના પાઠવતા રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી નજરે પડે છ.ે(તસ્વીરઃ અહેવાલઃ મુકુંદ બદિયાણી(જામનગર) હસમુખરાય કંસારા (ધ્રોલ)

(11:40 am IST)