Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ભાજપ સરકારને આડે હાથ લેતા શકિતસિંહ

ભાવનગર જિલ્લા કોંગ્રેસનું સ્નેહમિલન યોજાયું

ભાવનગર તા.૧૯: ભાવનગર જિલ્લા નું કોંગ્રેસનું સ્નેહમિલન કાર્યક્રમ સીદસરની સરદાર પટેલ સ્કૂલમાં યોજાઇ ગયું. અહીં કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગાન સાથે કરવામાં આવી હતી કાર્યક્રમમાં રાષ્ટ્રીય મંત્રી શકિતસિંહ ગોહિલ અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહયા હતા. શકિતસિંહે સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા ખેડૂતોની સ્થિતિ સરકારની જાહેરાતો યુવાનોની બેરોજગારી સરકારની કચેરીમાં વ્યાપી રહેલો ભ્રષ્ટાચાર મુદ્દે ગેસના બાટલા અને વધતા જતા ઇંધણના ભાવો જીએસટીને નોટબંધીના નુકસાનોને લઇને ભાજપ સરકારને આડે હાથે લીધી હતી.

આ ઉપરાંત દિગ્ગજ નેતાઓ રફેલ ખરીદી અને મગફળીનાં કોૈભાંડો ઉપર પણ સરકાર પાસે જવાબ માંગ્યા હતા. નવા વર્ષે પાર્ટીના કાર્યકરોને નવી સરકાર બનાવવા માટે નિર્ધાર કરાવ્યો હતો. વ્યકિતગત લડાઇ છોડી પાર્ટીના હિતમાં કામ કરવા અને પાર્ટીને સક્ષમ બનાવવા માટે પણ દિગ્ગજોએ પોતાના ભાષણમાં કહ્યું હતું.

ભીખાભાઇ જાજડિયાના યજમાનપદે સ્નેહમિલન યોજાઇ ગયું હતું. ધારાસભ્ય કનુભાઇ બારૈયા પ્રવિણ મારુ અગ્રણી કનુભાઇ કલસરીયા અનિભાઇ રંગોલી મેહુરભાઇ લવતુકા સંજયસિંહ સરવૈયા દિલીપસિંહ ગોહિલ પ્રવિણ રાઠોડ સહિતના જિલ્લાના આગેવાનો અને હોદેદારો ઉપસ્થિત રહયા હતા.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો એ હાજરી આપી હતી કાર્યક્રમને સફળ બનાવવા નાનુભાઇ ડાખરા, કાંતિભાઇ ચૌહાણ, જગદીશ જાજડિયા, શિવાભાઇ ડાભી, હરેશ ડાખરાએ ભારે જહેમત ઉઠાવી હતી.

(11:40 am IST)