Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

''જીવના જોખમે પુણ્યનું ભાથું બાંધવા જતા પરિક્રમાંથીઓ''

ઉના, તા. ૧૯ : ગિરિવર ગિરનારની લીલી પરિક્રમા થકી પ્રકૃતિના ખોળે પરિભ્રમણના અવસરને મહાલવા માનવ પ્રવાહ ઉમટી રહ્યો છે. ત્યારે પરિક્રમા પ્રત્યે અનન્ય આકર્ષણ ધરાવતા ઉના પંથકમાંથી પણ જવા પરિક્રમાર્થીઓ ઉત્સુક બન્યાં છે. પરંતુ પ્રતિ વર્ષ પરિક્રમા દરમિયાન યાત્રાળુઓના ભારે ઘસારાને જોવા છતા રેલ્વે તંત્ર દ્વારા કોઇ વિશેષ વ્યવસ્થા નથી કરાતી. તેમજ છતાં પણ ટ્રેનના કોચ ઉપર બેસીને જીવના જોખમે મુસાફરી કરીને શ્રદ્ધાળુઓ પુણ્યનું ભાથું બાંધવા જઇ રહ્યા છે.

(11:37 am IST)