Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

યાત્રાધામ વિકાસ બોર્ડની દ્વારકાને નવા વર્ષની ભેટ

દેવસ્થાન મંદિરને સલામતી માટે ફાયરના સાધનો અપાયા

 દ્વારકા તા. ૧૯: દ્વારકા વિસ્તારના મંદિરોની ગીચતા અને સંકળામણ વચ્ચે આગમચેતીના ભાગરૂપે રૂપિયા ૧૪ લાખના ખર્ચે અગ્નિ શામકના સાધનો ગઇકાલે દ્વારકાધીશ મંદિર માટે દેવસ્થાન સમિતિ, શારદાપીઠ મઠ અને રૂક્ષ્મણી મંદિરની ફાયર વ્યવસ્થા જાળવી રાખવા યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સાધનો સાથેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

દેવસ્થાન સમિતિના નાયબ વહીવટદાર હરીશ પટેલના શારદાપીઠના ચંદ્રકાન્ત ભટ્ટ તથા રૂક્ષ્મણી મંદિરના પુજારી અરૂણભાઇ દવે એ આ સાધનો સ્વીકાર કર્યા હતા.મંદિર સિકયુરિટી તથા સુરક્ષા જવાનો સમક્ષ સાધનોના વપરાશ માટેનો ડેમો પણ કરાયો હતો.

(10:57 am IST)