Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

દ્વારકામાં વિજયાદશમી પર્વની ઉજવણીઃ શ્રીજીના બાલસ્વરૂપની શોભાયાત્રા

દ્વારકા તા. ૧૯ : યાત્રાધામ દ્વારકામાં વિજયાદશમીની પરંપરાગત ઉજવણી કરાઇ હતી. ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપ એવા ગોપાલજીને પાલખીમાં બેસાડીને પૂજન સામગ્રી સાથે દ્વારકાધીશ જગત મંદિરેથી વાજતે ગાજતે જગન્નાથ મંદિર ખાતે લઇ જઇ વિધી વિધાન સાથે સમી પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં પુજારી અને વેપારીઓ જોડાયા હતા અને પોતાના વેપાર ધંધાની વૃધ્ધિ માટે પ્રાર્થના કરી હતી.(૨૧.૧૪)

(11:51 am IST)