Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

અભયભાઇ ભારદ્વાજ કોરોના મુકત થાય તે માટે જસદણ-આટકોટ બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા ઘેલા સોમનાથ મહાદેવને અભિષેક

આટકોટ : સૌરાષ્ટ્રના પ્રખર ધારાશાસ્ત્રી, રાજયસભાના સભ્ય અને બ્રહ્મ સમાજનાં આગેવાન અભયભાઇ ભારદ્વાજની તબીયત નાદુરસ્ત હોય તેવો જલ્દીથી સાજા થઇ જાય તે માટે શ્રી ઘેલા સોમનાથ દાદાના સાનિધ્યમાં જસદણ-આટકોટ બ્રહ્મ સમાજના અગ્રણી ચેતનભાઇ પંચોલી, જસદણનાં પંકજભાઇ ચાંવ, હરેશભાઇ હેરભા, આશીષઅદા નવાગામ, પ્રકાશગીરી ગોસાઇ, ગુણવંતભાઇ રાજયગુરૂ, ઉદયનભાઇ ત્રિવેદી અમરેલી, શુકલદાદા, દતુભાઇ શુકલ તથા ઘેલા સોમનાથ મંદિરના વહીવટદાર શીલુભાઇ સહિતનાઓએ શ્રી ઘેલા સોમનાથ મહાદેવને અભિષેક કરી અભયભાઇ જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરી હતી. (તસ્વીર : અહેવાલ :- વિજય વસાણી આટકોટ)

(11:29 am IST)