Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

વિરપુર ગાડલીયા લુહારીયા સમાજની પાંચ પુત્રીઓના સમૂહલગ્નનું આયોજન

વિરપુર(જલારામ)તા.૧૯ :  વિરપુર  જલારામ શ્રી મહાકાલ ફાઉન્ડેશન ટ્રસ્ટના નેજા હેઠળ ગાડલીયા લુહાર સમાજની ગરીબ ઘરની પાંચ દીકરીઓના સમુહલગ્નનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે આ સમૂહ લગ્ન સમારોહમાં ગાડલીયા લુહારીયા સમાજના પંાચ નવદંપતિ પ્રભુતામાં પગલા પાડશે.આ સમુહ લગ્નનું આયોજન વિરપુરના સેવાભાગી યુવાન અને મહાકાલ ફાઉન્ડેશન ટ્રસ્ટના દેવરાજ રાઠોડ દ્વારા  કરવામાં આવ્યું છે.ઙ્ગ આ સમુહ લગ્ન આગામી તા. ૧૮/૧ર/ર૦૧૮ ના રોજ રાજકોટ ખાતે કરવામાં આવશે અને  તમામ દીકરીઓને કરીયાવર રૂપે જીવનજરૂરી વસ્તુઓ, જેવી કે ડબલ બેડ સેટીપલંગ, ઉભો કબાટ, રસોડા રસોઇ સેટ, સોનાની નાકની ચૂક તેમજ દરેક જીવજ જરૂરીયાતની ઘરવખરીની વસ્તુ આપવામા આવશે તેમ સમૂહલગ્નના આયોજક દેવરાજ રાઠોડ ની યાદીમાં જણાવાયું છે.

(1:52 pm IST)