Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

સાંજે ભાવનગરમાં કર્મચારીઓના પ્રશ્ને વેસ્‍ટર્ન રેલ્‍વે મઝદુર સંઘ દ્વારા સુત્રોચ્‍ચાર

ભાવનગર તા ૧૯ : એન.એફ.આઇ.આર (MFIR/ વેસ્‍ટર્ન રેલ્‍વે મઝદુર સંઘ (WRMS) દ્વારા આજે કેન્‍દ્રિય કર્મચારીઓની મુખ્‍ય માંગણીઓ પ્રત્‍યે સરકારં દ્વારા થઇ રહેલ ઉપેક્ષાને લઇને સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. વેસ્‍ટર્ન મઝદુર સંઘના જનરલ સેક્રેટરી જે.જી. માહુસ્‍કર (દાદા) ની આગેવાની હેઠળ સમગ્ર વૈસટર્ન રેલ્‍વેમાં ધારણા તેમજ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

આ ઉપરાંત ભાવનગર ડિીવ્‍ીઝનમાં પણ ભાવનગર ટર્મિનસ સ્‍ટેશન પર સાંજે ૬.૧૫ કલાકે બાંદ્રા ટ્રેન પર સુત્રોચ્‍ચાર કરવામાં આવશે. આ ઉપરાંત ભાવનગર ડિવીઝનના જેતલસર, જુનાગઢ,બોટાદ, વગેરે સ્‍ટેશનો પર પણ દેખાવો કરવામાં આવશે.

(12:48 pm IST)