Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

કાલે ઉપલેટાનાં મેરવદરમાં શ્રીરામદેવજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી

(ભુપતગીરી ગોસ્વામી દ્વારા) ઢાંક તા. ૧૯:.. મેરવદરના શ્રી રામદેવજી મહારાજના મંદિરના પુજારી પ્રભુદાસબાપુ દેસાણીના જણાવ્યા અનુસાર દર વર્ષની માફક આ વર્ષે પણ ભાદરવા સુદ ૧૧ ને ગુરૃવારના રોજ રામદેવજી મહારાજના મંદિરે બપોરના ૩ વાગ્યે રામદેવજી મહારાજના સામૈયા, સાંજે પ કલાકે મહાપ્રસાદ, રાત્રે ૧૦ કલાકે સંતવાણી જેમાં નામી-અનામી કલાકારો પોત પોતાની કલા રજૂ કરશે. અને રાત્રે ૧૧ કલાકે પાટના દર્શન થશે.

વહેલી સવારથી જ રામદેવજી મહારાજ પાઠ, મહાઆરતી, તેમજ મહાપ્રસાદના ત્રિવેણી સંગમનો લાભ લેવા ભાવિકો ભકતોનો ઘોડાપુર ઉમટી પડશે. નલકંક, નેજાધારી શ્રી રામદેવજી મહારાજની જન્મ જયંતિ નિમિત ભજન, ભોજન અને પાઠના દર્શનનો લાભ લેવા શ્રીરામદેવજી મંદિરાના પુજારી શ્રી પ્રભુદાસબાપુ દેશાણી દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે. વધુ માહિતી અંગે સંપર્ક મો. ૯૯રપ૧ ૮૦૬ર૯ ઉપર કરવા વિનંતી. (પ-૧૮)

(12:31 pm IST)