Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

શકિતધામ ભંડારિયા બહુચરાજી મંદિરે કાલે નવરાત્રી મંડપનું રોપણ કરાશે

ભંડારિયા, તા.૧૯: પ્રસિદ્ધ શકિતધામ ભંડારિયા બહુચરાજી મંદિરે આસો માસની નવરાત્રીની સંપૂર્ણ શાષાોકત પધ્‍ધતિથી પરંપરાગત ઉજવણી કરાશે જે અંતર્ગત જળઝીલણી અગિયારસને ગુરૂવાર, તા.૨૦ સવારે ૧૦:૨૦ કલાકે માણેકચોકમાં મંડપ-ધ્‍વજા રોપવામાં આવશે.ભંડારિયામાં આસો સુદ નવરાત્રીની ભારે શ્રધ્‍ધા અને ભાવભેર ભવ્‍ય રીતે ઉજવણી કરવામાં આવે છે. અહીં નવરાત્રી ઉત્‍સવમાં મોટી સંખ્‍યામાં ભાવિકો સામેલ થતા હોય છે. આથી દિવસો અગાઉથી તૈયારીઓ હાથ ધરાય છે. ગુરૂવારે નવરાત્રીના મંડપ રોપણ બાદ નવરાત્રી ઉત્‍સવ સંદર્ભે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવાશે. મંડપ રોપણ વિધિ પ્રસંગે માઇ ભકતો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે.

(11:07 am IST)